GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં. 2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ. 3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. 2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે. 3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના આદિવાસીઓ માટે સાચાં છે ? 1. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં સંકેન્દ્રીત છે. 2. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રીત છે. 3. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. Q કયા માળ પર રહે છે ?