GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ?
1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે.
2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે.
3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
22 કિમી
25 કિમી
15 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central Administrative Tribunal) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે.
2. CAT નું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે.
3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે CATના સભ્યો નક્કી કરવામાં આવે છે.

માત્ર 1,2 અને 4
1,2,3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ખોટું / ખોટાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે.
બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે.
ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે.
આપેલ તમામ
માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે.
રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP