GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે. 2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે. 3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે. 2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરે છે. 3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અથવા અન્ય કોઈપણ માહિતી કમિશ્નરોને દૂર કરી શકે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોનું વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે. 2. અનુચ્છેદ 39 ને તે અનુચ્છેદ 14 નો ભંગ કરે છે તે આધારે પડકારી શકાય નહીં. 3. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે જ્યાં અનુચ્છેદ 13-C આવે છે ત્યાં અનુચ્છેદ 14 ખૂબ જ અસરકારક હશે.