GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (Occupational Safety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની સમીક્ષા કરવા માટે ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન ___ બાબતે કરવામાં આવ્યું છે. ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (OccupationalSafety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન........... બાબતે કરવામાં આવ્યું છે. 1. ફેક્ટરીઓ અને ડોક કામગીરી (Dock works) 2. બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનના કામો 3. ફાયર સેફ્ટી 4. બાળ મજૂરી (Child Labour) 5. માર્ગ સુરક્ષા (Road Safety)
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે. 2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી. 3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.