GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV આ બાબતે સાચાં છે ? i. જીઓ સ્ટેશનરી સેટેલાઈટ લોન્ચ વેહીકલ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે. ii. GSLV નો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે. iii. PSLV નો પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન બળતણ પર આધારિત છે. iv. GSLV નો ત્રીજો તબક્કો, ક્રાયોજેનિક ટેક્નોલોજી પર આધારિત છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા. 2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. 3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે. 2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે. 3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.