GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં. 2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી. 3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે. 4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ (Bicameralism) દાખલ કર્યું. 2. આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદાર મંડળો (electorates) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત લાગુ કર્યો. 3. આ અધિનિયમે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.