GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટું / ખોટાં છે ?
1. કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
2. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધાનું પ્રતિનિધિત્વ કરે છે.
3. પ્રાણી જીવ વૈવિધામાં દેશના 14% મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે.

ફક્ત 1
ફક્ત 2 અને 3
1,2 અને 3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ક્ષ- કિરણોના ગુણધર્મો શું છે ?
i. ક્ષ-કિરણોની તરંગલંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે.
ii. ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડીંગ (આણ્વીક બંધન) ખોરવી નાખવા પૂરતી ઊર્જાશક્તિ ધરાવે છે.
iii. ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતાં નથી.

ફક્ત iii
i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં કેન્દ્ર સરકારે ___ ના લાભાર્થે 'Santusht' નામની મોબાઇલ App નો પ્રારંભ કર્યો છે.

બાંધકામ મજૂર
બિન સંગઠિત મજૂર
ESI લાભાર્થીઓ (ESI Beneficiaries)
સગર્ભા સ્ત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી.
2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી
3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી.
4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.

માત્ર 3 અને 4
1,2,3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ?
1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય.
2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો.
3. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય.
4. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.

1,2,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 1,2 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો રડાર અને સોનાર બાબતે સાચાં છે ?
i. રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે.
ii. સોનાર અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે.
iii. બંને તરંગો લક્ષ્યથી પરાવર્તિત થઈને રીસીવરમાં પરત આવે છે અને રીસીવર તેના પર પ્રક્રિયા કરે છે.

ફક્ત i અને iii
i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP