GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.
2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી.
3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બાયોગેસ ___ સમાવે છે.

હાઈડ્રોજન અને હાઈડ્રોજન સલ્ફાઈડ
30 - 40% કાર્બન ડાયોક્સાઈડ
50 - 60% કાર્બન મોનોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ.
2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે.
3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ.

ફ્ક્ત 1
ફ્ક્ત 2 અને 3
1. 2 અને 3
ફ્ક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રક્ત કણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. લાલ રક્ત કણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે.
2. શ્વેત રક્ત કણોનું આયુષ્ય આશરે 12-20 દિવસનું હોય છે.
3. લાલ રક્ત કણો રોગકારક સૂક્ષ્મજીવાણુંઓ સામે લડવા માટે એન્ટીબોડીઝના ઉત્પાદનમાં મદદ કરે છે.
4. શ્વેત રક્ત કણો શ્વસન વાયુઓને માનવશરીરના જુદા જુદા ભાગો સુધી પરિવહન કરવામાં મદદ કરે છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP