GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. 2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. 3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે. 2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે. 3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વિટામીન G રાઈબોફ્લેવિન તરીકે પણ જાણીતું છે. 2. વિટામીન A સામાન્ય રીતે માનવમૂત્રમાં વિસર્જન થતું વિટામીન છે. 3. તાજા આથાના કોષો વિટામીન B નું સારૂ સ્ત્રોત છે. 4. લોહીના ગંઠાઈ જવા માટેનું કારણરૂપ વિટામીન વિટામીન K છે.