GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતના નીચેના પૈકી કયા પર્યટન સ્થળો બૌધ્ધ સરકીટના ભાગ છે ?
1. ખંભાલીડાની ગુફાઓ, રાજકોટ
2. કડિયા ડુંગર ગુફાઓ, ભરૂચ
3. દેવની મોરી, અરવલ્લી

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?

640
480
આપેલ પૈકી કોઈ નહીં
240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ રંગ ગમતો હોય અને જેમને કાળો રંગ ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો તફાવત કેટલો થશે ?

20
આપેલ પૈકી કોઈ નહીં
15
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે.
2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે.
3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ વડી અદાલતોની હકૂમત છે ?
1. મૂળ હકૂમત
2. અપીલીય હકૂમત
3. રેકર્ડ ન્યાયાલય
4. ન્યાયિક સમીક્ષાની સત્તા

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP