GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે.
2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે.
3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે.
4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે.
1. દૂરસંચાર ઉપગ્રહ
2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ
3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
નદી - ઉદ્ભવસ્થાન - માં મળવું
1. શેત્રુંજી નદી - ગીર જંગલ - ખંભાતનો અખાત
2. મહી નદી - વિંધ્યાચલ ટેકરીઓ - ખંભાતનો અખાત
3. રૂપેણ નદી - અરવલ્લી ટેકરીઓ - અરબી સમુદ્ર
4. બનાસ નદી - અરવલ્લી ટેકરીઓ - કચ્છનું નાનું રણ

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે.
2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે.
3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી.
4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘઉંના વાવેતર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે એવી જમીનમાં સરસ રીતે પાકે છે કે જે ગોરાડુ જમીનની જેમ પાણીને સરળતાથી નીકળી જવા દેતી નથી.
2. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે.
3. તેના માટે પાક ઉગાડવાની ઋતુમાં માફકસરનો વરસાદ અને લણણીના સમયે તેજસ્વી સૂર્ય પ્રકાશ જરૂરી છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP