GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. 2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી 3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી. 4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડો. યાદી-1 a. હીમોફીલિયા b. ડાયાબિટીસ c. રીકેટ્સ d. રિંગવર્મ યાદી-2 i. ઉણપનો રોગ ii. આનુવાંશિક વિકાર iii. હોર્મોન વિકાર iv. ફુગજન્ય ચેપ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. વિષ્ણુપ્રયાગ - ધૌળીગંગા અને અલકનંદા 2. નંદપ્રયાગ - નંદાકિની અને અલકનંદા 3. રૂદ્રપ્રયાગ - મંદાકિની અને અલકનંદા 4. દેવપ્રયાગ - ભાગીરથી અને અલકનંદા