GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. જો આપણે K દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેણે આપેલું પહેલું વિધાન સાચું માનીએ, તો બાકીની શરતોનું પાલન કરતાં કેટલી ગોઠવણી શક્ય બનશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજાજી સૂત્ર (formula) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ સૂત્ર અનુસાર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે. 2. મુસ્લિમ લીગ અને INC એ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે. 3. ગાંધીજી અને જિન્હાએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી. 4. આ દરખાસ્ત જિન્હા દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ? I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં. III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો. III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.