GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા (Snow line) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને ___ કહેવાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે. 2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે. ૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું. III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection) IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.