GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચાં છે ? 1. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30° છે. 2. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમાં સમુદ્ર તરફ 35 નોટિકલ માઈલ વધુ વિસ્તારિત થાય છે. 3. ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઋગ્વેદ સમય દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? i. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞાપવીત વિધિ કરવામાં આવતી હતી. ii. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી. iii. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી. iv. અનેક સ્ત્રી ર્દષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ? i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે. ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે. iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ? 1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર. 2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે. 3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ. 4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.