GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્ષ 2019-2020 માટે બેંકિંગ લોકપાલ યોજના (Banking Ombudsman Scheme) ના વાર્ષિક અહેવાલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
આપેલ બંને
RBI ત્રણ લોકપાલ (Ombudsmen) – બેંકીંગ લોક્પાલ (banking ombudsman), નોન બેંકીંગ નાણાકીય કંપની લોકપાલ (non-banking finance company ombudsman) અને ડીઝીટલ વ્યવહારો માટેના લોકપાલ (ombudsman for digital transactions) ધરાવે છે.
તાજેતરમાં સહકારી સોસાયટીઓ માટે નવા લોકપાલની સ્થાપના કરવામાં આવી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન 2. મેનગ્રુવ વન 3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન 4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન યાદી-II a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે. IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.