GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે.
2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.

માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વન પૃથ્વી ગ્રહના ફેફસા ગણાય છે ?

વિષુવવૃત્તીય વન
ટુંડ વન
પાનખર વન
તૈગા (Taiga) વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___

નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન
વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
વાસ્તવિક GDP અને નોમીનલ GDP
નોમીનલ GDP અને વાસ્તવિક GDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે.
III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત II અને III
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. PSLV - તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ધન અને પ્રવાહી બળતણ વપરાય છે.
GSLV – તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે.
3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) - ISRO એ તેનું ત્રણ વખત પ્રક્ષેપણ સફળતાપૂર્વક કર્યું છે.

માત્ર 1 અને 2
માત્ર 1
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે.
2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે.
3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP