GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.
2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી ?
1. જૂનાગઢ
2. જોધપુર
3. જેસલમેર

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.
2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.
3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?

પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP