GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે. નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ ત્રણ એક ચોક્કસ રીતે સરખા છે અને એક સમૂહ બનાવે છે. તે પૈકી કયો વિકલ્પ તે સમૂહમાં આવતો નથી ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મો ઓસ્કાર ઍવોર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીલ્મના વર્ગમાં નામાંકિત થઈ છે ? I. રેવા II. વીર હમીરજી III. ધ ગુડ રોડ IV. હેલ્લારો
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધનું / ના પરિણામ / પરિણામો હતું / હતાં ? I. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું. II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં. III. મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ "ખારડાની સંધિ" કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બાઈકની કિંમત રૂ. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ-બીજાને હરાવવામાં આવ્યો હતો. II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતાં હતાં. III. જયસિંહ સિદ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.