GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
નીચે પૈકી કયા બોક્સને નંબર 231 આપેલ છે ?

લાલ
નારંગી
નીલો
વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક ઘડિયાળનો કલાક કાંટો મધ્યાહન પછી 75° ફરે છે. તો ઘડિયાળનો સમય :

14 કલાક
આપેલ પૈકી કોઈ નહીં
15 કલાક
14 : 30 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ?

મોરારી બાપુ
સ્વામી સચ્ચિદાનંદ
પુનિત મહારાજ
ભીક્ષુ અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે.

જૂનાગઢ
વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ
આહવા
સરદાર સરોવર મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ?

તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી.
ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા.
કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા
જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયાલય જેવી જ સત્તાઓ અને કાર્યવાહીઓ ભોગવે છે.
2. સામાન્ય રીતે ટ્રીબ્યુનલો આવી વિશેષતાઓ ધરાવે છે.
3. કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે.
4. તેમની સત્તાઓ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી સીમીત હોય છે.

માત્ર 1 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP