GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે.
આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સ્ટેમ સેલ્સ (Stem Cells) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો (daughter cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજીત થાય છે.
2. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે અથવા વિશિષ્ટકોષો બને છે.
3. વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામીંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્નો કરી રહ્યા છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે.
ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે.
iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP