GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? 1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. 2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે. 3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. 4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. મુખ્ય કામદાર એ એવી વ્યક્તિ છે કે જે વર્ષમાં ઓછામાં ઓછા 183 દિવસ (અથવા છ મહિના) કામ કરે છે. ii. સીમાંત (marginal) કામદાર એ એવી વ્યક્તિ છે કે જે વર્ષમાં 183 દિવસ (અથવા છ મહિના) થી ઓછું કામ કરે છે. iii. 2001ની વસતિ ગણતરીએ ભારતની કામ કરતી વસ્તીને 6 મુખ્ય શ્રેણીઓમાં વિભાજીત કરી છે.