GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે.

મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને મૂળભૂત હકો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?

ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
ચૈતન્ય મહાપ્રભુ
વલ્લભાચાર્ય
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે.
III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.

ફક્ત I અને II
ફક્ત I અને III
ફક્ત I
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
નાટક
I. હું જ સીઝર અને હું જ બ્રુટસ
II. આખું આયખુ ફરીથી
III. કુમારની અગાશી
IV. રાજા મિડાસ
નાટ્યકાર
a. મધુ રે
b. ચિનુ મોદી
c. હસમુખ બારાડી
d. લવકુમાર દેસાઈ

I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a
I-d, II-c, III-a, IV-b
I-a, II-b, III-d, IV-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ___ કહેવાતા હતા.

દ્વિજ
સભાસદ
રાજન્ય
ઉપનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP