GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો. 2. આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 kg નો હતો. 3. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો / હસ્તકલાકારો આવરી લેવાયાં છે. 4. આ યોજના હેઠળ તમામ આદિમજાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવાયાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે. 1. ભાવ સ્તરમાં વધારો 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ 3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ 4. કરવેરાની આવકમાં ઘટાડો
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. 2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે. 3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.