GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાયાં છે ? 1. લોક્સભાના વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતા નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે. 2. લોક્સભાના અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટીસ આપવી પણ ફરજીયાત છે. 3. અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી. 2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે. 3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી. 4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે. 2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે. 3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.