GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?

જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં
પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે.
આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતા ઓછી નહીં એટલી બેઠકો (અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા) સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન ___ માંથી નીકળે છે.

કાર્બન ડાયોક્સાઈડ
ક્લોરોફિલ
આપેલ પૈકી કોઈ નહીં
પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.
2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.
3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું.
પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP