GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી. 2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય. 3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે. 4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાબાની અદાલતો બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સીટી સીવિલ કોર્ટના ન્યાયાધીશ, અધિક જીલ્લા ન્યાયાધીશ અને સ્મોલ કોઝ અદાલતોના મુખ્ય ન્યાયાધીશની પણ જીલ્લા ન્યાયાધીશ તરીકે ગણના થાય છે. 2. જીલ્લા ન્યાયાધીશ ફક્ત દીવાની દાવાઓમાં જ મૂળ અને અપીલીય હકૂમત ધરાવે છે. 3. સેશન્સ ન્યાયાધીશ કોઈપણ કેસમાં મહત્તમ સજા તરીકે આજીવન કારાવાસ આપવાની સત્તા ધરાવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ડેરિવેટિવ્ઝ (Derivatives) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ડેરિવેટિવ એક નાણાકીય સાધન (financial instrument) છે કે જેનું મૂલ્ય એક કે તેથી વધારે અંતર્ગત એસેટ્સ (underlying assets) અથવા જામીનગીરીઓ (securities) માંથી તારવવામાં (derived) આવે છે. 2. આ અંતર્ગત એસેટ્સ શેર (shares), બોન્ડ (bonds) અને ચલણ (currencies) અને સોના, ચાંદી વિગેરે જેવી ચીજવસ્તુઓ (commodities) હોઈ શકે છે. 3. SEBI રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમન થતા હોય એવાં ડેરિવેટિવ્ઝનું નિયમન કરી શકતું નથી.