GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત સરકારના 2021-2022 ના અંદાજપત્રના 6 સ્તંભો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અંદાજપત્રનો સ્વાસ્થ્ય અને સુખાકારીનો સ્તંભ નિવારક, ઉપચારક અને સુખાકારી પગલાંઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે. 2. 500 AMRUT શહેરો માટે પ્રવાહી કચરા વ્યવસ્થાપનની જોગવાઈ અંદાજપત્રના ભૌતિક અને નાણાકીય તેમજ આંતરમાળખાકીય સ્તંભ હેઠળ કરવામાં આવી છે. 3. માનવ મૂડી (Human Capital) સ્તંભને પુનર્જીવીત કરવાના સ્તંભ હેઠળ બિનસરકારી સંગઠનો, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 1000 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે. 2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે. 3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે. 2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે. 3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી. 4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.