GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આલ્બેડો (Albedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પૃથ્વીનો સરાસરી આબ્લેડો 30-35% ની શ્રેણીમાં હોય છે પરંતુ તે અલગ અલગ વિસ્તારો માટે બદલાય છે. 2. પાણી 0.1 નો ઓછો આલ્બેડો ધરાવે છે. 3. વાદળાઓ સામાન્ય રીતે ઊંચો આબ્લેડો દર્શાવે છે પરંતુ ખરેખર વાદળાની ઘનતા ઉપર આધાર રાખે છે. 4. જંગલો ઊંચો આબ્લેડો ધરાવે છે અને તેથી વધુ સૂર્યપ્રકાશ શોષે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી. 3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.