GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે. II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે. III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ. IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છે II. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે. III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે. IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે.