GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી.
(II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા.
(III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે.
(IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી.
ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?

માત્ર (II) અને (III) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું
પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો.
(I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે"
(II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે.
(III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે.
(IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.

માત્ર (I) અને (II)
માત્ર (II)
માત્ર (II) અને (IV)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

(I) અને (II) બંને
માત્ર (I)
માત્ર (II)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) ઘરેલૂ કંપની 30% ના દરે કરપાત્ર છે.
(II) બિન-ઘરેલૂ કંપની 45% ના દરે કરપાત્ર છે.
(III) ડિવિડન્ડ વહેંચણી 25% ના દરે કરપાત્ર છે.

માત્ર (II) સાચું છે.
એકપણ સાચું નથી.
માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.
(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP