GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી. (II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા. (III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે. (IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી. ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે. (II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે. (III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે.