GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે. 2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે. 3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે. 4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ - ચિનાબ પુલ – બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. 2. ચિનાબ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલલીંક પ્રોજેક્ટનો ભાગ છે. 3. આ પુલ ચિનાબ નદી ઉપર બાંધવામાં આવી રહ્યો છે અને તે એફીલ ટાવર કરતા પણ ઊંચો છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવશે. 2. આ સ્નાતકો પાંચ વર્ષથી સ્નાતકો હોવા જોઈએ અને રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. 3. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો માધ્યમિક ધોરણથી ઓછીના હોય તેવી રાજ્યની શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ષ શિક્ષક રહ્યાં હોય તેના દ્વારા ચૂંટવામાં આવશે. 4. રાજ્ય વિધાન પરિષદમાં શિક્ષક મતદાર વિભાગમાંથી વિશ્વ વિદ્યાલયોના શિક્ષકો મત આપવાની પાત્રતા ધરાવતા નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદીય પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે સભ્ય દ્વારા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ (Attention Motion) રજૂ કરવામાં આવે છે. 2. મોકૂફીની દરખાસ્ત દાખલ કરવા માટે ઓછામાં ઓછા 30 સભ્યોના ટેકાની જરૂર પડે છે. 3. રાજ્યસભાને મોકૂફીની દરખાસ્તનો ઉપયોગ કરવાની છૂટ નથી. 4. મોકૂફીની દરખાસ્તમાં સરકાર વિરૂધ્ધ ટીકાનું તત્ત્વ સમાયેલું હોય છે.