GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ જ્યાંથી ન્યાયાધીશની ફેરબદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે તે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિનિમય કરશે.
ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચારવિનિમય કરશે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે, જે પ્રારંભમાં 96 વિષયો હતા. 2. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 વિષયો હતા. 3. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે, જે પ્રારંભમાં 47 વિષયો હતા.