GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા. ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી / રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. જે વ્યક્તિ એક કલાક માટે કામ કરે પણ ચાર કલાક કરતાં ઓછું કામ કરે તો તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે. ii. જ્યારે વ્યક્તિ દિવસ દરમ્યાન ચાર કલાક કે તેથી વધારે કામ કરે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે. iii. હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર કોન્ટ્રાક્ટ દર (Contract rate) છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
Banking Regulation (Amendment)Bill 2020,(બેન્કિંગ નિયમો (સુધારણા) વિધેયક, 2020) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે છે. 2. આ સુધારણાથી RBI પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે. 3. હાલમાં સહકારી બેંકોએ સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર અને RBI ના નિયંત્રણ હેઠળ છે.