GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર. 2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. 3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
M અને R અનુક્રમે રૂ. 12,000 અને રૂ. 15,000 નું રોકાણ કરી એક વ્યવસાય શરૂ કરે છે. Q કેટલુંક રોકાણ કરી તેમની સાથે જોડાય છે. જે સમય માટે તેઓ મૂડીરોકાણ કરે છે તે અનુક્રમે 5 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ છે. કુલ નફો રૂ.28,382 થાય છે જેમાંથી R નો ભાગ રૂ. 11,106 છે. તો Q એ વ્યવસાયમાં કેટલી મૂડીનું રોકાણ કર્યું હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં ભારત સરકારે National Democratic Front of Bodoland (NDFB) ના નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ 'મંજૂરી' લેવી પડશે. 2. આ કરાર એ આસામમાં રહેતા Bodo આદિવાસીઓને રાજકીય હક્કો પૂરા પાડશે. 3. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોવા તેવા ત્રીજા કરાર છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી. 2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે. 3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.