GPSC PI Prelim Exam Paper 03 January 2021
ખનીજ કાયદા (સુધારણા) વિધેયક, 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણ પણે વાણિજ્યિક ખાણ કામ કરવા માટે ખુલ્લું મુકાયું. 2. તે કોલસા ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઇરાદો ધરાવે છે. 3. હાલમાં ભારતીય ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ક્ષ- કિરણોના ગુણધર્મો શું છે ? i. ક્ષ-કિરણોની તરંગલંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે. ii. ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડીંગ (આણ્વીક બંધન) ખોરવી નાખવા પૂરતી ઊર્જાશક્તિ ધરાવે છે. iii. ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતાં નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા. ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા. iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું. iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.