GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. Q કયા માળ પર રહે છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા. 2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. 3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. પ્રત્યાગમનક્ષ્મ કર (Regressive tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. ii. પ્રમાણસર કરવેરા (Proportional tax) ને ફ્લેટ કરવેરા (Flat tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે. iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું/ ક્યાં આ વિધાનો સાચાં છે ? 1. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદે્શમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજીયાત છે. 2. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ (General purposes committee) અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે. 3. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે. 4. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાંકીય બાબત છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
માનવ વિકાસ સૂચકાંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. 2017ના માનવ વિકાસ સૂચકાંકના અહેવાલ અનુસાર 36 રાજ્યમાંથી ગુજરાતનો ક્રમ 21મો છે. ii. માનવ વિકાસ સૂચકાંકમાં પંજાબ પ્રથમ ક્રમે છે. iii. 1995 ની સરખામણીમાં 2017 માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો હોય પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે.