GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતાં ?

રંગઅવધૂત મહારાજ
જલારામ બાપા
પૂજ્ય મોટા
મૂકસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.
તારણો :
I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.
II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.
II. તંજાવુર એકવિધ 'વિમાન' અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે.
III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.

ફક્ત I અને III
I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. પ્રાચિનકાળથી પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં
II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી.
III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.

ફક્ત I અને II
I, II અને III
ફક્ત I અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે?
I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો.
II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં.
III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.

ફક્ત I અને III
ફક્ત II અને III
ફક્ત II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP