GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
'ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને 'STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી ?

આપેલ પૈકી કોઈ નહીં
23/90
19/90
7/30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.

ફક્ત I
ફક્ત II
I અને II પૈકી કોઈ નહીં
I અને II બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે ?

P
R અથવા S
આપેલ પૈકી એક પણ નહીં
P અથવા Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે.

કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10
કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10
કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10
કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ?
I. વિઠ્ઠલસ્વામી મંદિર
II. હજારા રામાસ્વામી મંદિર
III. શ્રી રંગનાથ મંદિર
IV. કૈલાશનાથ મંદિર

ફક્ત I અને II
ફક્ત I
I, II, III અને IV
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP