GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે. 2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. 3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે. 4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો. 2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે. ૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. 4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે. 2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે. 3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.