GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આધિકૃત રીતે (On record) સૌથી જુના ડી.એન.એ. ___ ના દાંતમાંથી મેળવ્યાં છે.

ઓસ્ટ્રેલીયન કાંગારૂ
ભારતીય વાઘ
આફ્રિકન સિંહ
સાઈબીરીયન પ્રાચીન હાથી (Mammoth)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે.

પી. વી. નરસિંહા રાવ
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન
2. મેનગ્રુવ વન
3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન
4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન
યાદી-II
a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે.
b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે.
c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે.
d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.

1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 – d
1 - d, 2 - a, 3 - b, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તી ગણતરી 2011 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતમાં પશ્ચિમ બંગાળ એ સૌથી ઓછું શહેરીકરણ થયેલ રાજ્ય છે.
2. 2001 થી 2011 વચ્ચે ભારતમાં નિરપેક્ષ શહેરી વસ્તી વૃધ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી વૃધ્ધિ કરતાં વધુ હતી.
3. સિક્કીમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP