GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. 2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી. 3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી. 4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાજેતરના અહેવાલ અનુસાર ભારતે 2018-19 માં ઈ-વેસ્ટ (E-Waste) ના ___ ટકા એકત્રિત કર્યા.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે. 2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે. 3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું. III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection) IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.