GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
DNA રસી વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ રસીઓ બેક્ટેરીયલ DNA ના નાના વર્તુળાકાર અંશની બનેલી હોય છે.
2. આ રસીઓમાં એન્ટીજનનું વહન કરતાં બેક્ટેરીયલ DNA નો અંશ સીધો જ માનવને આપવામાં આવે છે.
3. તે એન્ટીજનને વિમુક્ત (release) કરે છે જે આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય બનાવે છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ISRO અને તેના ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ISRO ભારતનો સૌ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કર્યો.
2. APPLE ભારતમાં નિર્મિત પ્રશેપણ સાધન દ્વારા ભ્રમણકક્ષામાં સ્થાપવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે.
૩. ISRO એ મંગળની ભ્રમણકક્ષાઓ સુધી પહોંચનાર સૌ પ્રથમ એશિયાઈ અવકાશ સંસ્થા છે.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે.
આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ સંસ્થા એ ઉત્પાદનો માટે ઈકોમાર્ક (Ecommrk) ના લેબલની ફાળવણી કરે છે?

ઓર્ગેનીક ફાર્મીંગ સોસાયટી ઓફ ઈન્ડીયા
ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards)
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના નવા કાર્યક્રમ “1000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન” (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે.
II. આ યોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે.
III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે.
IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે.

ફક્ત I, II અને III
ફક્ત III અને IV
ફક્ત I અને II
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો.
2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે.
૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે.
4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP