GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિધાન મંડળમાં બેવડું (double) સભ્યપદની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. જો કોઈ વ્યક્તિ સંસદના બન્ને ગૃહોના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે / તેણીએ પોતે કયા ગૃહમાં જોડાવવા ઇચ્છે છે તે 30 દિવસની અંદર જણાવવું પડે.
2. જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે.
3. જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેણે કોઈ એક બેઠકનો વિકલ્પ આપવાનો રહેશે અન્યથા બંને બેઠકો ખાલી પડેલી ગણાશે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?

ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂ.2000 ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો ?
1. એસ. કે. ધાર સમિતિ
2. જે.વી.પી. સમિતિ
3. ફઝલ અલી સમિતિ

માત્ર 1
1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ?

રૂ. 2,700
રૂ. 2,300
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 2,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતએ 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ (સ્ટાન્ડર્ડ મેરિડીયન) તરીકે પસંદ કર્યો છે કારણ કે ___

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તે ભારતના રાજ્યક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે. તેથી અન્ય નજીકના પ્રદેશોનો ચોક્કસ સમય દર્શાવે છે.
તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ?
1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય.
2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો.
3. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય.
4. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.

માત્ર 1 અને 3
માત્ર 1,2 અને 3
1,2,3 અને 4
માત્ર 1,2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP