GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની બેંક દર નીતિના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને અંકુશમાં રાખવા બેંક દર વધારે છે.
(II) 1951થી બેંક દર અનેક વાર વધારવામાં આવેલ છે.
(III) 1997થી બેંક દર ભારતીય રિઝર્વ બેંકના બધા દર સાથે જોડવામાં આવેલ છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે
બધાં જ સાચાં છે.
માત્ર (III) સાચું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.
જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) અલ્પવિકસિત સભ્ય દેશોને વિકાસ ભંડોળ સરળ શરતોએ પૂરું પાડે છે.
(II) વિશ્વના અલ્પવિકસિત વિસ્તારોમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે.
(III) તે વિશ્વ બેંકના વિકાસ અને સગવડતાની પ્રવૃત્તિઓમાં અને પૂરક સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(IV) ને વિશ્વ વેપાર સંસ્થા (WTO) ની સૂચના પ્રમાણે કાર્ય કરે છે.

માત્ર (IV)
આપેલ પૈકી કોઈ નહીં
માત્ર (II) અને (III)
માત્ર (I), (II) અને (III)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

બધાં જ
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (IV)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(I) અને (II)
(II) અને (III)
(I) અને (III)
(II) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) મુખ્ય બેંકની યોજનાનો વિચાર રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલના ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ દ્વારા ઓક્ટોબર 1969માં શરૂ કરવામાં આવેલ હતો.
(II) ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પર્યાપ્ત બેંકિંગ અને ક્રેડિટ માળખું ઊભું કરવા અને યોજના અને કાર્યક્રમોના વિકાસ માટે વિસ્તારને દત્તક લેવાનો અભિગમ હોવો જોઈએ.
(III) સુખમોય ચક્રવર્તી સમિતિ દ્વારા આ વિચારને બાદમાં સમર્થન મળ્યું હતું.
ઉપરની માહિતીને આધારે સાચો જવાબ પસંદ કરો.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP