GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ?
(I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ.
(II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી.
(III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા ઑડિટિંગની વિશેષતા / વિશેષતાઓ છે ?
(I) આ વિશ્લેષણાત્મક નથી, પરંતુ જટિલ અને તપાસનીય છે.
(II) ઑડિટમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ બિનનાણાકીય માહિતિનો સમાવેશ થતો નથી.
(III) તેમાં ખરાઈપાત્ર પુરાવાની સુસંગતતા, વિશ્વસનીયતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
(IV) ઑડિટર સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ.

(I) અને (II)
(II) અને (III)
(III) અને (IV)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
(I) મફતમાં મળતી વસ્તુઓ એ છે કે જેના માટે ચૂકવણી કરવી પડતી નથી અને આર્થિક વસ્તુઓ ચૂકવણી કર્યા વગર વાપરી શકાતી નથી.
(II) મફત મળતી વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વચ્ચેનો ભેદ કાયમી નથી.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.
બંને (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

(I), (II) અને (III)
આપેલ પૈકી એક પણ નહીં
(I) અને (II)
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP