GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા.
ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું.
iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.

આપેલ પૈકી કોઇ નહી
i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે.
2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે.
3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.

1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું/ ક્યાં આ વિધાનો સાચાં છે ?
1. અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદે્શમાં ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવી ફરજીયાત છે.
2. લોકસભાની સામાન્ય હેતુ સમિતિ (General purposes committee) અને કાયદા સમિતિઓ એ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે.
3. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષે પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે.
4. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાંકીય બાબત છે કે જેના કારણે લોકસભાને તેમાં વિશેષ સત્તા છે.

માત્ર 2 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1,2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પક્ષીદર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ (વેટલેન્ડ) ક્યાં આવેલું છે ?

સાપુતારા
પાલનપુર
રાજકોટ
ડભોઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.

માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 1,2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP