GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો. ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા. iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 7, 8 અને 9માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?
ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂ.2000 ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે.
આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચાં છે ? 1. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે. 2. તે ત્રણ પેટા ભાગમાં વિભાજિત થાય છે. કાઠીયાવાડ કિનારાના, કોંકણ કિનારાના તથા મલબાર કાંઠાના 3. કાઠીયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલ છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. 2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે. 3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.