GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ? I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ III. ગાયકવાડ પૅલેસ, વડોદરા IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ? I. બિંદુસાર - અમિત્રાઘાટ II. સમુદ્રગુપ્ત - પરાક્રમક III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભાલણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની 'કાદમ્બરી' નું ભાષાંતર કર્યું. II. તેઓ મીરાબાઈના સમકાલીન હતાં. III. તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ?