Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતાં છે ?
I. વૃંદાવન સોલંકી
II. ખોડીદાસ પરમાર
III. મનહર મકવાણા
IV. દેવજીભાઈ વાજા

ફક્ત II, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત I અને II
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.

1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ-બીજાને હરાવવામાં આવ્યો હતો.
II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતાં હતાં.
III. જયસિંહ સિદ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.

ફક્ત II અને III
ફક્ત II
ફક્ત I અને II
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

માત્ર 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી 'અમુક્તમલ્યદા' ના કર્તા હતો ?

બુક્કા-II
હરીહર
બુક્કા-I
કૃષ્ણદેવરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ABCD એક સમલંબ ચતુષ્કોણ છે, જેમાં AB || CD, AD ⊥ DC, AB = 20 cm, BC = 13 cm અને DC = 25 cm છે. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?

354 cm²
270 cm²
232 cm²
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP