GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

માત્ર (I) અને (II)
બધાં જ
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો.
(I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે.
(II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે.
(III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે.
(IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (IV) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઉપયોગમાં લેવાતી વિવિધ હિસાબી નીતિઓ અને કાર્યવાહીઓને સંવાદી બનાવવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ભારતની ધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડીયાએ એકાઉન્ટીંગ સ્ટાન્ડ્ઝ બોર્ડ (ASB - હિસાબી ધોરણ પંચ)ની રચના કરી. હિસાબી ધોરણ પંચ (ASB)ની સ્થાપના ક્યારે થઈ ?

21મી મે, 1977
21મી એપ્રિલ, 1977
21મી નવેમ્બર, 1977
21મી જુલાઈ, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ?
(I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ.
(II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી.
(III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની ચૂકવણી અસંતુલન એ દીર્ઘકાલીન અસંતુલન છે ?

ટૂંકાગાળાનું અસંતુલન
ચક્રીય અસંતુલન
માળખાકીય અસંતુલન
લાંબાગાળાનું અસંતુલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

I અને II બંને સાચાં છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં
માત્ર II સાચું છે.
માત્ર I સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP