GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો. (I) ઉપભોક્તા તર્કસંગત છે. (II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે. (III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી. (IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ / કયા સ્પિયરમેનના સહસંબંધાંકની લાક્ષણિકતા / લાક્ષણિકતાઓ છે ? (I) બે ચલ વચ્ચેનો ક્રમ તફાવતનો સરવાળો શૂન્ય હોવો જોઈએ. (II) સ્પિયરમેનનો સહસંબંધાંક એ વિતરણમુક્ત અથવા બિનપ્રાચલ્ય છે, કારણ કે તેમાં જે સમષ્ટિમાંથી નિદર્શ અવલોકનો લેવામાં આવ્યા છે તે અંગે કોઈ જ સખત ધારણાઓ કરવામાં આવતી નથી. (III) સ્પિયરમેનના સહસંબંધાકનું પિયર્સનના સહસંબંધાંકની જેમ જ અર્થઘટન કરી શકાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.