GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. ભારો
II. ઘડુ
III. હૅયા હૅયા
IV. આલવું
a. પટ્ટણી બોલી
b. કચ્છી બોલી
c. સુરતી બોલી
d. ચરોતરી બોલી

I-d, II-b, III-c, IV-a
I-c, II-d, III-a, IV-b
I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
પીળો દડો ___ માં છે.

પેટી 1
પેટી 2
પેટી 2 અથવા પેટી 3
પેટી 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
18 એપ્રિલ, 1951 ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી ?

રાયપુર
પોચમપલ્લી
ઉદયગીરી
વેંકટગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનો ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી કરવામાં આવે છે.
2. વડી અદાલતના કર્મચારી વર્ગના પગાર, ભથ્થા તેમજ પેન્શન તથા વહીવટી ખર્ચા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી આવકારવામાં આવે છે.
3. વડી અદાલતના નિવૃત ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલત સિવાયની અન્ય કોઈ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.

માત્ર 1 અને 3
માત્ર 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.
તારણો :
I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.
II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી.
II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી.
III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.

ફક્ત II
ફક્ત I
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP