GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?

T, R
T, P
આપેલ પૈકી એક પણ નહીં
R, Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ?
i. લોથલ
ii. બનાવલી
iii. હરપ્પા
iv. કાલીબંગા

ફક્ત i અને ii
ફક્ત i અને iii
i,ii,iii અને iv
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. પ્રત્યાગમનક્ષ્મ કર (Regressive tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે.
ii. પ્રમાણસર કરવેરા (Proportional tax) ને ફ્લેટ કરવેરા (Flat tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે.
iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.

ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી / રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. જે વ્યક્તિ એક કલાક માટે કામ કરે પણ ચાર કલાક કરતાં ઓછું કામ કરે તો તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે.
ii. જ્યારે વ્યક્તિ દિવસ દરમ્યાન ચાર કલાક કે તેથી વધારે કામ કરે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે.
iii. હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર કોન્ટ્રાક્ટ દર (Contract rate) છે.

i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટાં છે ?
i. તે 100% સરકારી ઇક્વિટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે.
ii. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી.
iii. તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે.
iv. તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે છે.

ફક્ત i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત iv
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના આદિવાસીઓ માટે સાચાં છે ?
1. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં સંકેન્દ્રીત છે.
2. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રીત છે.
3. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે.

ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP